ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ–બાન્દ્રા (12959) તથા બાન્દ્રા-ભુજ (12960) ટ્રેનને દૈનિક સ્ટોપેજ આપવામાં આવે તેવી ઉગ્ર માગ ભાભરના વેપારીઓ અને મુસાફરો દ્વારા ઉઠાવવામાં આવી છે.છેલ્લા આઠ વર્ષથી આ ટ્રેન સપ્તાહમાં માત્ર એક વખત ચાલતી હોવાને કારણે કચ્છ, બનાસકાંઠા સહિત ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે.જો દૈનિક સ્ટોપેજ મળે તો આવન-જાવન સરળ બનશે, સમય અને ખર્ચ બંનેની બચત થશે. આ બાબતે પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત ડીઆરએમને લેખિત રજૂઆત કરાઈ છે.