ગોધરા: ગોધરામાં સેવા પરમો ધર્મ: સ્વ. ચંદ્રિકાબહેન સોનીની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન
ગોધરામાં સેવા પરમો ધર્મ: સ્વ. ચંદ્રિકાબહેન સોનીની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન,"સેવા એ જ સાચો ધર્મ છે અને કોઈના જીવનને બચાવવું એ જ સૌથી મોટી માનવતા છે..." આ ઉમદા સૂત્રને સાર્થક કરતો એક પ્રેરણાદાયી કિસ્સો ગોધરામાંથી સામે આવ્યો છે. જ્યાં એક પરિવાર દ્વારા પોતાના સ્વજનની પુણ્યતિથિ પર ભપકાદાર ખર્ચ કરવાને બદલે, સમાજ ઉપયોગી ભગીરથ કાર્ય કરીને એક અનોખી મિસાલ કાયમ કરવામાં આવી છે. ગોધરાના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી હોલ ખાતે એક ભવ્ય રકતદાન