શિનોર: શિનોર ખાતે વ્રતધારી બહેનોને શિનોર APMC ના ચેરમેનના હસ્તે દશામાંની મૂર્તિઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.
આગામી તારીખ 4 ઓગસ્ટના રોજ દિવાસાના દિવસથી દશામાંના વ્રતનો પ્રારંભ થનાર છે.ત્યારે વ્રતધારી બહેનો શ્રધ્ધાભેર દશામાંનું વ્રત ઉજવી શકે તે માટે દરવર્ષે શિનોરના એક માય ભક્ત દ્વારા વિનામૂલ્યે દશામાની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવે છે.દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ આજે સવારે શિનોર મેઈન બજારમાં આવેલ શિવ શક્તિ દુગ્ધાલય ખાતે મૂર્તિ વિતરણનું આયોજન કરાયું હતું.જેમાં શિનોર APMC ના ચેરમેન સચીનભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રીના હસ્તે મૂર્તિઓનું વિતરણ કરાયુ છે.