શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગર ખાતે ૩ માર્ચ, ૨૦૨૬ને મંગળવારના રોજ ચારુતર વિદ્યામંડળ ધ્વારા વલ્લભવિદ્યાનગરના ૮૧મા સ્થાપના દિન નિમિત્તે આદ્યસ્થાપકોની પ્રતિમાઓનું સવારે ૮-૩૦ કલાકે મહાનુભાવો ધ્વારા પુષ્પાંજલિ કર્યા બાદ ૯-૦૦ કલાક બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે સીવીએમ શાસ્ત્રી મેદાનમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.