રાજકોટ: મનપા દ્વારા ચાલી રહેલ રોડરસ્તાની રીપેરીંગ કામગીરીનું મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા રૂબરૂ જઈ સ્થળ નિરીક્ષણ કરાયું
Rajkot, Rajkot | Oct 1, 2025 શહેરીજનોની સુવિધા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ-રસ્તા રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત મ્યુનિ.કમિ. શ્રી તુષાર સુમેરાએ સ્થળ પર જઈ આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થળ પર જ તમામ જરૂરી માહિતી મેળવી હતી તેમજ કામની ગુણવત્તાની ચકાસણી પણ કરી હતી.