ફાગણ સુદ તેરસ નિમિત્તે આજે વહેલી સવારથી છ ગાઉની યાત્રાનો પ્રારંભ.પાલીતાણામાં ફાગણ સુદ તેરસ નિમિત્તે આજે વહેલી સવારથી છ ગાઉની યાત્રાનો પ્રારંભ થયો. શેત્રુંજય ગિરિવર પર યોજાતી આ પરિક્રમામાં જૈન સાધુ-સાધ્વીજી અને હજારો શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા. યાત્રા શેત્રુંજય ડુંગરથી ભાડવા ડુંગર, ચંદન તલાવડી થઈ સિદ્ધવડ આદપુર ખાતે પૂર્ણ થશે. યાત્રિકોની સુવિધા માટે પાલ ઊભા કરાયા છે અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.