ગોધરા: માનવ સેવા એ જ પ્રભુ સેવા: ગેસ સિલિન્ડરની અછત વચ્ચે પણ અન્નપૂર્ણા ટ્રસ્ટની ભોજન સેવા અવિરત
કહેવાય છે કે ‘ભૂખ્યાને ભોજન આપવું એ જ સૌથી મોટી પૂજા છે.’ આ ઉક્તિને ગોધરાનું અન્નપૂર્ણા ટ્રસ્ટ સાર્થક કરી રહ્યું છે. હાલના સમયમાં જ્યારે ગેસ સિલિન્ડરની સંભવિત અછત જેવી મુશ્કેલીઓ વર્તાઈ રહી છે, ત્યારે પણ આ ટ્રસ્ટ દ્વારા દર્દી નારાયણની સેવાના યજ્ઞમાં કોઈ કમી આવવા દીધી નથી. ગોધરાની સિવિલ (સરકારી) હોસ્પિટલમાં દાખલ ગરીબ દર્દીઓ અને તેમની સાથે રહેલા સગાઓ માટે ટ્રસ્ટ દ્વારા દરરોજ શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે.દરરોજ અંદાજે 150 થી 200 જેટલા