ગોધરા: શહેરમાં કિન્નર સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ: જવારા વિસર્જન અને મહાપ્રસાદનું આયોજન કર્યું હતુ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે કિન્નર સમાજ દ્વારા આદ્યશક્તિની આરાધનાના પર્વ 'ચૈત્રી નવરાત્રિ'ની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નવ દિવસ સુધી ચાલેલા અનુષ્ઠાનના અંતે આજે ભવ્ય જવારા વિસર્જન યાત્રા અને ભંડારા (મહાપ્રસાદ)નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી જ ગોધરાના કિન્નર સમાજ દ્વારા માતાજીના જવારાનું સ્થાપન કરી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. નવ દિવસ સુધી વિધિવત પૂજા-અર્ચના અને ગરબા દ્વારા માતાજીની