તારાપુર: તારાપુરમાં અંધારપટ છવાતા MGVCL કચેરીએ લોકોનો ભારે હોબાળો
Tarapur, Anand | Jun 19, 2026 તારાપુરમાં છાશવારે વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે.ગતરોજ દિવસે 3 થી 4 વખત અને સાંજથી મોડી રાત સુધી 6 થી 7 વખત વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પરેશાન થયેલા વિવિધ વિસ્તારના રહીશો મોડી રાત્રે જ MGVCL કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતા, જ્યાં કમ્પ્લેઇન ઓફિસમાં ફોન ઉપાડવા માટે માત્ર એક જ કર્મચારી હાજર મળ્યો હતો.ત્રાહિમામ સ્થાનિક લોકોએ મોડી રાત્રે કચેરીએ હોબાળો મચાવ્યો હતો.