લીંબડી: ઝાલાવાડ માં ધન્વંતરી રથ બધી જગ્યાએ ન પહોચી શકતા અનેક લાભાર્થીઓને આ યોજના નો લાભ મળતો નથી.
#Jansamasya
રાજ્ય સરકાર ના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મજુરી કામ કરતા શ્રમજીવી લોકો ના પરિવાર જનો ને લાલ બુક નો લાભ મળે એ માટે ધન્વંતરી આરોગ્ય રથ ને કામગીરી સોંપવામાં આવી છે. જો આ યોજના હેઠળ બાળકો ને શાળામાં સ્કોલરશિપ નો પણ લાભ મળે છે પરંતુ આ ધન્વંતરી રથ લીંબડી શહેરમા તથા ચુડા થાન અને બધી જગ્યાએ પહોંચતો ન હોવાના લીધે લાભાર્થીઓને લાભ મળે તે યોગ્ય કાર્યવાહી કરવા શ્રમ અને રોજગાર મંત્રીને રજૂઆત કરી હોવાનું નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી