ચોટીલામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય પ્રદર્શન અને આધ્યાત્મિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 90 મણ બરફમાંથી બનાવેલું વિશાળ શિવલિંગ અને અમરનાથ દર્શન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી મીરાદીદીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પરમાત્મા શિવનો કલ્યાણકારી સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો.