ચોટીલા: ચોટીલામાં 90 મણ બરફનું શિવલિંગ બન્યું બ્રહ્માકુમારીઝ દ્વારા મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી, અમરનાથ દર્શન આકર્ષણનું કેન્દ્ર
ચોટીલામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય પ્રદર્શન અને આધ્યાત્મિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 90 મણ બરફમાંથી બનાવેલું વિશાળ શિવલિંગ અને અમરનાથ દર્શન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી મીરાદીદીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પરમાત્મા શિવનો કલ્યાણકારી સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો.