ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાતના વાઇસ ચાન્સલર ડો.અશ્વિન કાપડિયાની અધ્યક્ષતામાં ભરૂચ-નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા ગંગાસ્વરૂપ બહેનોનું ચતુર્થ મહા સંમેલન યોજાયું હતું.જેમાં પ્રાર્થના બાદ સંમેલનના પ્રમુખ રણજીતસિંહ ડાભી,તુલસીપુરી ગૌસ્વામીનું વરણી કરવામાં આવી હતી.જ્યારે સરકારનો આભાર માનતા ઠરાવનું વાંચન,વિધવા સહાયની રકમમાં વધારાની માંગણી અને આવક મર્યાદામાં વધારાની માંગણીનો ઠરાવનું વાંચન કરવામાં આવ્યું હતું.