ઉધના: સુરતઃ૮ દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયેલો વિપુલ ગણેશવાલા અચાનક ACBમાં પ્રગટ થયો
Udhna, Surat | Feb 28, 2026 સુરતઃ ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન નહિ કરવા પેટે ૨૧ લાખની લાંચ માંગવાના બહુચર્ચિત પ્રકરણમાં છેલ્લાં ૮ દિવસથી નાસતા-ફરતા કહો કે ભૂગર્ભમાં ઉતરી ગયેલા લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા શુક્રવારે સવારે અચાનક એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસમાં પ્રગટ થયા હતા. એસીબીએ ગણેશવાલાની વિધિવત્ ધરપકડ કરી આગળની તપાસ આદરી હતી.લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાએ એક બાંધકામનું ડિમોલિશન નહિ કરવા પેટે બિલ્ડર પાસે ૨૧ લાખ માંગ્યા હતા.