માર્ગ સલામતી અંગે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૬ના આ અભિયાન અંતર્ગત RTO બારડોલી, સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ, હિરેન્દ્રદીપ ફાઉન્ડેશન તથા CIBના સંયુક્ત ઉપક્રમે ઉતરાયણ પર્વ દરમિયાન કોઈ જાનહાનિ ન થાય એ હેતુથી વિશેષ કાર્યક્રમ બારડોલી સુરતી જકાત નાકા ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વાહનચાલકો અને નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે ૧,૦૦૦થી વધુ સેફ્ટી બેલ્ટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.