વાંસદા તાલુકાના ઉનાઈ માતા મંદિર ખાતે આગામી ૬ ડિસેમ્બર, શનિવારે સવારે ૯થી બપોરે ૨ વાગ્યા સુધી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી અને જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું વિનામૂલ્યે નિદાન, સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે.