ઉધના: સુરત: ચાલવા બાબતે થયેલી સામાન્ય ‘ટક્કર’ લોહિયાળ બની, ઉધનામાં 25 વર્ષીય યુવકની નિર્મમ હત્યા
Udhna, Surat | Feb 27, 2026 સુરતના ઉધના વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. બીઆરસી પાસે આવેલા પ્રભુનગરમાં માત્ર ચાલવા બાબતે લાગેલી ‘ટક્કર’ની અદાવતમાં પાડોશીએ જ યુવકની હત્યા કરી નાખી હતી. જોકે, ઉધના પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.૨૬ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨ વાગ્યાના સુમારે ૨૫ વર્ષીય દિનેશકુમાર નવરતન પ્રજાપતિ પોતાના કામ અર્થે ઘરની બહાર નીકળ્યો હતો.