સુરતના ઉધના વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. બીઆરસી પાસે આવેલા પ્રભુનગરમાં માત્ર ચાલવા બાબતે લાગેલી ‘ટક્કર’ની અદાવતમાં પાડોશીએ જ યુવકની હત્યા કરી નાખી હતી. જોકે, ઉધના પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.૨૬ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨ વાગ્યાના સુમારે ૨૫ વર્ષીય દિનેશકુમાર નવરતન પ્રજાપતિ પોતાના કામ અર્થે ઘરની બહાર નીકળ્યો હતો.