તળાજા: પીથલપુરમાં ઢોર ચરાવવા બાબતે માથાકૂટ, લાકડીના ઘાથી પશુપાલકનો હાથ ફ્રેક્ચર
તળાજા તાલુકાના પીથલપુર ગામની સીમમાં માલઢોર ચરાવવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક પશુપાલક પર હુમલો થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ પીથલપુર ગામના રહેવાસી અને પશુપાલનનો વ્યવસાય કરતા મુન્નાભાઈ ભલાભાઈ ભરવાડ પોતાના માલઢોર ગામની સીમમાં ચરાવી રહ્યા હતા. તે દરમિયાન ગામના જગાભાઈ ગીગાભાઈ ગળીયા પોતાના માલઢોર સાથે ત્યાં પહોંચ્યા હતા. આરોપ છે કે ઝાંઝમેર ગામમાં માલઢોર ચરાવવા અંગેની વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન જગાભાઈ ગળીયા ઉશ્કેરાઈ જઈ પ