શિનોર: માલસર થી માંડવા જવાના રોડ પર આવેલ રૂઢિયા હનુમાનજી મંદિર ખાતે માલસર ના જાગૃત યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
Sinor, Vadodara | Jul 13, 2024 કોવિદ મહામારીના સમયે જ લોકોને ઓકસીજનનું મહત્વ સમજાયું હતું.અને તે માટે વૃક્ષો કેટલા અગત્યના છે તે પણ સમજાવ્યું હતું.જેથી લોકો વૃક્ષારોપણ તરફ આગળ વધ્યા છે.ત્યારે આજે સાંજના 5 વાગ્યાંના અરસામાં માલસર ગામના જાગૃત યુવાનો દ્વારા માલસર થી માંડવા જવાના રોડ પર આવેલ રૂઢીયાં હનુમાનજી મંદિર ખાતે આશરે 300 થી 400 જેટલાં વૃક્ષોનું વાવેતર કરી અન્ય યુવાનો માટે નવો રાહ ચિંધ્યો હતો.