વડદલા ગામે છેલ્લા એક મહિનાથી દીપડાની દહેશતને કારણે ગ્રામજનો ભયના વાતાવરણમાં જીવન વ્યતીત કરી રહ્યા હતા. અનેક રજૂઆતો બાદ વન વિભાગે તારીખ 19 નવેમ્બરના રોજ ગામમાં પાંજરું મૂક્યું હતું. થોડા દિવસ પહેલાં એક ચાલાક દીપડો મારન લઈને પાંજરામાંથી નીકળી ગયો હતો, પરંતુ ફરીથી મારન મૂકતાં આજે સોમવારે વહેલી સવારે એક પુખ્ત દીપડો પાંજરે પુરાયો હતો. આ ઘટનાના સમાચાર ફેલાતાં જ ગામના લોકો મોટી સંખ્યામાં પાંજરે પુરાયેલા દીપડાને જોવા ઉમટી પડ્યા હતા.