દેવાયત ખવડને 30 દિવસમાં સરેન્ડર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ..અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની સામે દેવાયતસિંહ ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.