ગોધરા: શહેરમાં આવેલ દલુની વાડી પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
ગોધરા નગરપાલિકા દ્વારા દલુની વાડી પ્રાથમિક શાળા ખાતે 'વિકસિત ભારત સંકલ્પ' અંતર્ગત જન કલ્યાણ શિબિર-2026 યોજાઈ હતી. જેમાં વિવિધ વહીવટી અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવાનો હતો.આ માટે તંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકી અરજદારોને સ્થળ પર જ માર્ગદર્શન અને સીધો લાભ પૂરો પાડવામાં આવ્યો હતો. શિબિરમાં આયુષ્માન ભારત, પીએમ આવાસ અને પીએમ સૂર્ય ઘર સહિત કુલ 40 જેટલ