ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓની લાંબા સમયની માંગણીનો સુખદ અંત આવ્યો છે. ભારતીય મજદૂર સંઘ અને ભારતીય સ્વાયત્ત શાસીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ મંડલીએ જણાવ્યું હતું કે, મનપાના જે કર્મચારીઓ 5 વર્ષના ફિક્સ પગાર (હંગામી ધોરણે) પર કાર્યરત હતા, તેમને હવે 3 વર્ષમાં જ કાયમી કરવામાં આવશે. આ અંગેની દરખાસ્ત કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો દ્વારા બહુમતીથી મંજૂર કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ કર્મચારી સંગઠનો