ગોધરા: ગોધરા શહેરના રેલવે સ્ટેશન ખાતે સ્થાનિક ઉદ્યોગપતિ ધ્વારા સ્વખર્ચે પીવાના પાણીની વ્યવસ્થા કરાવી હતી.
ગોધરા રેલવે સ્ટેશન ખાતે વધતી ગરમી વચ્ચે મુસાફરોને રાહત આપવા સ્થાનિક ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દારૂસ્સુલહ વલ ખૈર દ્વારા મિનરલ વોટરના જગ મુકાયા છે. અગાઉ મુસાફરોને પાણી માટે મુશ્કેલી પડતી અને ટ્રેન છૂટી જવાની ઘટનાઓ બનતી. મર્યાદિત સુવિધાને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરાઈ, જેના કારણે મુસાફરોને સરળતાથી શુદ્ધ પાણી મળી રહે છે અને ખાસ કરીને લાંબી મુસાફરી કરતા યાત્રિકોને રાહત મળી છ