ગોધરા: મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પંચમહાલ જિલ્લામાં ત્રિવિધ કાર્યક્રમો યોજાશે
કેન્દ્રની મોદી સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પંચમહાલ જિલ્લામાં ૫ જૂનથી ૨૧ જૂન દરમિયાન ત્રિવિધ કાર્યક્રમો યોજાશે, જેની વિગત આપવા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.આ ઉજવણી અંતર્ગત મુખ્ય ત્રણ આયોજનો કરાયા છે,વિકસિત ભારત સંકલ્પ સંમેલન: વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવાના રોડમેપ અંગે ચર્ચા થશે.જન કલ્યાણ શિબિર: ૧૨થી ૨૦ જૂન દરમિયાન જિલ્લા પંચાયત બેઠક દીઠ યોજી સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચા