સુરતના ડીંડોલી-કરાડવા રોડ પર આવેલી જ્વેલર્સની દુકાનમાં બે દિવસ પહેલા થયેલી ધોળે દિવસે લૂંટની ઘટનામાં સુરત પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે.તપાસમાં બહાર આવ્યું છે કે, આ લૂંટ કોઈ અજાણ્યા બદમાશે નહીં, પરંતુ દુકાન માલિકે જ પોતાના દેવામાંથી મુક્તિ મેળવવા માટે રચેલું એક સુનિયોજિત કાવતરું હતું.બે દિવસ પહેલા ડીંડોલીમાં જ્વેલર્સની દુકાનમાં મોઢે કાળું કપડું બાંધીને આવેલા એક શખસે લોખંડના સળિયા વડે સેલ્સમેનને ડરાવી રૂપિયા 3.57 લાખની લૂંટ કરી હતી.