ગોધરા: પંચમહાલ પોલીસની મોટી સફળતા: છેલ્લા ૩ મહિનાથી પેરોલ પરથી ફરાર બળાત્કારના ગુન્હાનો પાકો કેદી જામનગરથી ઝડપાયો
રાજ્યવ્યાપી “ઓપરેશન કારાવાસ-૨” ડ્રાઇવ અંતર્ગત પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોડને મોટી સફળતા મળી છે. વડોદરા મધ્યસ્થ જેલનો પાકો કેદી અજય ઉર્ફે અજલો મિનામા, જે ગોધરા તાલુકાના બળાત્કારના ગુન્હામાં સજા કાપી રહ્યો હતો, તે ૩ મહિનાથી પેરોલ જમ્પ કરી ફરાર હતો. હેડ કોન્સ્ટેબલ રમેશભાઈને મળેલી હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ બાતમીના આધારે, પોલીસે જામનગરના કાલાવાડ રોઝીયા ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો, જ્યાં તે છુપાઈને મજૂરી કરતો હતો. અટકાયત બાદ કેદીને બાકીની સજા ભોગવવા કડક