ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં આવેલા વીઆઈપી ના ડેલા નજીક મારામારીની ઘટના બની હતી. જે બનાવ અંગે દુકાનદાર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ સમોસા લેવા જેવી સામાન્ય બાબતે દુકાનદાર પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો અને માર મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે ત્રણ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.