"હજારો સ્મિત. અસંખ્ય જીવ બચાવ્યા." ના સંદેશ સાથે આયોજિત આ વિશેષ શિબિર 1 માર્ચ 2026ના રોજ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે. આ શિબિર મધુસુદન ગ્રુપ, લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પલસાણા, સુરત ખાતે યોજાશે. 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે આયોજિત આ રક્તદાન કેમ્પ માનવતા, સંવેદનશીલતા અને જીવન બચાવવાના સંકલ્પને સમર્પિત છે. આયોજકોના જણાવ્યા મુજબ માત્ર 15 મિનિટનો રક્તદાન કોઈને પૂર્ણ જીવન આપી શકે છે અને એક યુનિટ રક્ત ત્રણ લોકોનું જીવન બચાવી શકે છે.