જેતપુર: જેતપુર નવાગઢ ઓવરબ્રિજ ઉપર બાઇકનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત - બાઇક ચાલકનું નિપજેલ મોત
Jetpur, Rajkot | Feb 1, 2024 જેતપુર તાલુકામાં આવેલા નવાગઢના ઓવરબ્રિજ પર બાઈકનું ટાયર ફાટતા બાઈક ચાલક નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.જોકે આ બનાવ બનતા આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે