ગોધરા: પતિના આડા સંબંધોનો વિરોધ કરતા પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકાઈ; ગોધરા મહિલા પોલીસમથકે ફરિયાદ દાખલ
શહેરા તાલુકાના મંગલીયાણા ગામના ગીતાબેન પરમારના લગ્ન ૨૦૧૦માં ભાવિનભાઈ સાથે થયા હતા. પતિને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં ગીતાબેને વિરોધ કર્યો હતો, જેના કારણે પતિએ તેમને શારીરિક-માનસિક ત્રાસ આપી છૂટાછેડા માટે દબાણ કર્યું હતું. નવેમ્બર ૨૦૨૨માં છૂટાછેડાની ના પાડતા પતિએ ગીતાબેનને માર મારી, તેમના દાગીના તેમજ ૧૩ વર્ષની દીકરીને પડાવી લીધા હતા અને ધમકી આપી ઘરમાંથી કાઢી મૂક્યા હતા. છેલ્લા ચાર વર્ષથી પિયરમાં રહેતા પીડિતાએ અગાઉની અરજીઓનો નિકાલ ન