રાજકોટ પૂર્વ: 4જૂને ગળાફાંસો ખાનાર સદરબજારમાં રહેતી મહિલાનું મોત
17 દિવસ પહેલા ગળાફાંસો ખાનાર સદરબજારમાં રહેતી મહિલાનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સદર બજારમાં રહેતી ફરીદાબેન નામની મહિલાએ 4જૂનની રાત્રે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે 9:00 વાગ્યાની આસપાસ તેમનું મોત નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. તેમના મોતથી ત્રણ સંતાનો મા વિહોણા થયા હતા. પ્રદ્યુમનનગર પોલીસે આ ઘટનાઅંગેનીઆગળનીકાર્યવાહી હાથધરીછે.