માળીયા: માળીયા-જામનગર હાઇવે પર ખારચીયા નજીક એસટી બસ પાછળ અર્ટિગા ઘુસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, બેના મોત
Maliya, Morbi | May 28, 2025 આંધ્રપ્રદેશથી કચ્છમાં ફરવા આવેલા પ્રવાસીઓ અર્ટિગા કારમાં ગત રાત્રીના સમયે કચ્છથી દ્વારકા દર્શને જતા હતા ત્યારે માળીયા -જામનગર હાઇવે ઉપર આમરણના ખારચીયા નજીક હાઇવે ઉપર હોટલ પાસે ઉભેલી એસટી બસના ઠાઠામાં કાર ધડાકાભેર ઘુસી જતા કારમાં બેઠેલા આંધ્રપ્રદેશના રહેવાસી કૌશયા રામોલુ રામપલ્લી ઉ.67 અને રામાનુજ ચારુલ જગન્નાથ ચારુલ ઉ.53 નામના આધેડનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.