કાલોલ: કાલોલ પોલીસ સ્ટેશન ખાતે આગામી રામનવમીના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગામી પવિત્ર રામનવમી ના તહેવારની સમગ્ર પંથકમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થવાની છે, ત્યારે આ ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કાલોલ પોલીસ સ્ટેશનમાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક કાલોલના સિનિયર પીએસઆઈ એલ. એ. પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.રામનવમીના તહેવાર દરમિયાન નગરમાં કોમી એકતા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન ની વિચારણા કરવામાં આવી આ