અમદાવાદ શહેર: રથયાત્રાના પર્વ પર મામેરાનું વિશેષ મહત્વ છે ત્યારે આ વર્ષે રથયાત્રામાં બે મામેરા કરવામાં આવશે
રથયાત્રાના પર્વ પર મામેરાનું વિશેષ મહત્વ છે ત્યારે આ વર્ષે રથયાત્રામાં બે મામેરા કરવામાં આવશે. પરંપરાગત રીતે યજમાન દ્વારા જે મામેરુ કરવામાં આવે છે તે મામેરા સાથે સરસપુરમાં આવેલા પ્રાચીન રણછોડજી મંદિર દ્વારા પણ ભગવાનનું મોસાળુ કરવામાં આવશે એટલે કે બે મોસાળા ભરાશે. 25 વર્ષ બાદ ફરીથી જુના રણછોડજી મંદિર દ્વારા મામેરાની પરંપરા શરૂ કરવામાં આવશે .. ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા નિમિત્તે સરસપુરની ભાગા ભગતની પોળ સ્થિત રણછોડરાય મંદિરે ૧૪૭ વર્ષ જૂની 'જ