વાલિયા તાલુકાના લુણા ગામના જાગૃત આગેવાન વીનેશ રવીયાભાઈ વસાવાને ગામની સીમમાં આવેલ તળાવની પાર પર માટી ખનન ચાલી રહ્યું છે.જેને લઈ તેઓ સ્થળ પર આવી જોતા માટી ખનન જોવા મળતા તેઓએ ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં જાણ કરતા ખાણ ખાણીજના રોયલી ઇન્સપેક્ટર અને સર્વેયર સ્થળ પર દોડી આવ્યા હતા.અને સાદી માટીનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા એક જેસીબી અને ટ્રેક્ટર પકડી જરૂરી કાગળો માંગતા કોઈ પણ જાતના પુરાવા રજૂ નહીં કર્યા.