અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદારયાદી સુધારણા પ્રક્રિયા એસઆઈઆર દરમિયાન ગંભીર અનિયમિતતાઓ થયાની ફરિયાદ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા ચાલી રહેલી ચૂંટણીસંબંધિત પ્રક્રિયામાં કેટલાક બીએલઓ દ્વારા ચોક્કસ વર્ગ અને સમાજના મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.