રખીયાણાના જતિનભાઈ ઠાકોર અને તેમના પત્ની હરીપુરાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ધાસપુર-ફુલ્કી રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. સામેથી પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતા છકડાના ચાલકે દંપતીના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા ૨૨ વર્ષીય જતિનભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્ની કોમલબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત સર્જી છકડા ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો જે બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.