મહુવા: તરેડ–કોંજળી રોડ પરનું નવનિર્મિત નાળું માત્ર ચાર મહિનામાં જ બેસી ગયું, ગુણવત્તા સામે સવાલો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં વિકાસના કામોની ગુણવત્તા ફરી એકવાર ચર્ચામાં આવી છે. તરેડ–કોંજળી રોડ પર થોડા મહિના પહેલાં બનાવવામાં આવેલું નવનિર્મિત નાળું માત્ર ચાર મહિનામાં જ એક બાજુ બેસી જતાં તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નાળામાં એક બાજુ મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે ભવિષ્યમાં વધુ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા આ કામની ટકાઉપણાને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ