અંકલેશ્વર: ત્રિનેત્ર આઈ સેન્ટર ખાતે ભારતીય જનતા પાર્ટી ત્રિનેત્ર આઈ સેન્ટરના સહયોગથી વિના મૂલ્યે આંખ નિદાન કેમ્પ યોજાયો હતો.
અંકલેશ્વર શહેરમાં આવેલ ત્રિનેત્ર આઈ સેન્ટર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૫માં જન્મ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર આઈ હોસ્પિટલના સહયોગથી વિના મૂલ્યે આંખ નિદાન કેમ્પ યોજાયો હતો.જેમાં મોતિયો, વેલ, આંખ લાલ અને દુખાવો, પાણી ટપકવું,ખજવાડ, કીકી પર સફેદ ફૂલ સહિત પડદાને લગતા રોગોનું નિદાન તેમજ ઝામરનું સચોટનું નિદાન કિકીના રોગોની સારવાર કરવામાં આવી હતી.આ કેમ્પમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.