ગોધરા: મોરવા(હ) તાલુકાના વેજમા ગામમાં આપઘાત પ્રેરણા કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર.
પંચમહાલ જિલ્લામાં મોરવા(હ) તાલુકાના મોજે વેજમા (માતરીયા) ગામમાં બનેલા આપઘાત પ્રેરણા સંબંધિત ગંભીર કેસમાં જિલ્લા મુખ્ય સેશન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે. આરોપી મીરાંબેન કાંતીભાઈ નાનાભાઈ બારીઆની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ, તા. 07/02/2026ના રોજ વેજમા ગામના ખાંટ ફળીયામાં રહેતી સંગીતાબેન રાકેશભાઈ બારીઆને તેમના પતિ રાકેશભાઈ કાંતીભાઈ બારીઆ દ્વારા બીજી પત્ની લાવવા બાબતે વારંવાર માનસિક હેરાનગતિ કરવા