ગોધરા: ગોધરા ST: 118 જૂની બસો સ્ક્રેપ કરાશે:* મુસાફરોની સુવિધા માટે 118 નવી બસો દોડશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ગોધરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગોધરા એસ.ટી. વિભાગ હસ્તક હાલમાં કુલ ૫૪૦ બસોનો કાફલો કાર્યરત છે. મુસાફરોને વધુ સારી, આરામદાયક અને સુરક્ષિત સફર મળી રહે તેવા આશયથી વિભાગીય કચેરી ગોધરા દ્વારા બસોના નવીનકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. છેલ્લા બે થી ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ ગોધરા એસ.ટી. વિભાગને અંદાજે ૧૧૮ જેટલી નવીન નકોર બસો ફાળવવામાં આ