ગોધરા સબજેલ ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી હોળી પર્વ નિમિત્તે “સમર્પણ ધ્યાન શિબિર” યોજાઈ હતી. શિબિરનો ઉદ્દેશ કેદીઓમાં માનસિક શાંતિ, સકારાત્મકતા અને આત્મચિંતનનો વિકાસ કરવાનો હતો. જેલ અધિકારીઓ, સ્ટાફ તથા ૧૦૦થી વધુ પુરુષ-સ્ત્રી કેદીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. નિષ્ણાત દ્વારા ધ્યાન, શ્વાસયોગ અને તણાવમુક્તિ અંગે માર્ગદર્શન અપાયું. કાર્યક્રમ બાદ કેદીઓમાં તણાવમાં ઘટાડો અને મનોબળમાં વધારો નોંધાયો. અધિકારીઓએ આવી શિબિરો કેદીઓના માનસિક સ્વાસ્થ્ય