શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી સુરત જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, સંગઠનની ટીમ, લોક શિક્ષણ કેન્દ્ર ચલથાણના ટ્રસ્ટીગણ અને ગામના વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને શુભાશિષ પાઠવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો હતો. પલસાણા તાલુકામાં કુલ ૬ પરીક્ષા કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો પર અંદાજે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ