પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણિયાદ ગામ પાસે આવેલા ભરવાડ ફળિયા નજીક એક છકડો રિક્ષા પલટી જવાની ઘટના બની છે. આ અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નિપજ્યા છે, શહેરાના અણિયાદ ગામના ભરવાડ ફળિયા પાસે થી પસાર થઈ રહેલ છકડા ચાલકે સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા છકડો પલટી મારી હતી આ અકસ્માત ની ઘટના મા શહેરા તાલુકાના કવાલી ગામના બે વયોવૃદ્ધ વ્યક્તિઓના મોત થયા છે. 65 વર્ષના લીલાબેન રણછોડભાઈ અને 60 વર્ષના પીઠાભાઈ સક્રામભાઈ કલરારિયા ગામે બેસણામાં જઈ રહ્યા હતા,