ધાનેરા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ત્રણ સભ્યોએ સત્તા પક્ષ દ્વારા એકતરફી નિર્ણયો લેવાતા હોવાના આક્ષેપ સાથે વોકઆઉટ કર્યો હતો.
આ સભામાં પાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ પહાડસિંહ રાજપૂત, ચીફ ઓફિસર નંદનગીરી ગૌસ્વામી તેમજ ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. વર્ષ 2026-27 ના વિકાસ કામોના એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના સભ્યોએ સત્તા પક્ષ પર નિર્ણયોમાં તેમને અવગણવાનો આરોપ લગાવ્યો હતો, જેના વિરોધમાં તેમણે સભા છોડી દીધી હતી.
પાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે, તમામ વિકાસ કામોના એજન્ડા વંચાણે લઈ સર્વસંમતિથી બહાલી આપવામાં આવી છે. આ સામાન્ય સભામાં નગરપાલિકાની 9 સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી અને તેના ચેરમેન તેમજ સભ્યોની વરણી કરાઈ હતી.
જેમાં કારોબારી ચેરમેન તરીકે દેવાભાઇ પ્રજાપતિ,બાંધકામ સમિતિના ચેરમેન તરીકે તગાભાઈ મોદી, પાણી પુરવઠા સમિતિ ચેરમેન તરીકે ગીરીશભાઈ ત્રિવેદી, મહેકમ સમિતિ ચેરમેન તરીકે પહાડજી બારોટ, ભૂગર્ભ ગટર અને સેનિટેશન સમિતિ ચેરમેન તરીકે દક્ષાબેન ભીલ, સ્ટ્રીટ લાઈટ સમિતિ ચેરમેન તરીકે આરતીબેન ઠાકોર, ટ્રાન્સપોર્ટ અને ગેરેજ સમિતિ ચેરમેન તરીકે નેમાજી માળી, વનીકરણ બાગ બગીચા અને ગુમાસ્તા ધારા સમિતિ ચેરમેન તરીકે જમીલાબેન શેખ, સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન તરીકે ખુશાલભાઈ સોલંકીની વરણી કરવામા આવી હતી
.
.
#nagarpalika #bjpgujarat #gujaratcongress #localnews #dhanera