અંકલેશ્વરના પાનોલી જી.આઈ.ડી.સી.માં મહાવીર નગર પાસે નહેર પરનો બ્રિજ જર્જરિત બન્યો હતો.છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના પાનોલી જી.આઈ.ડી.સી.માં મહાવીર નગર પાસે ઉકાઈ જમણા કાંઠાની નહેર પર પુલ આવેલ છે.જે પુલ હાલમાં જર્જરિત બન્યો છે.જે જર્જરિત પુલ પરથી ભારે વાહન ચાલકો સતત પ્રવેશ કરતા ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી શકયતા વર્તાઈ રહી છે.તેવામાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.