ગોધરા: તાલુકાના પરમારપૂરા ગામે રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો.
ગોધરા તાલુકાના પરમારપુરા ગામે રહેણાંક મકાનમાં આગ લાગતા મોટું નુકસાન થયું. રણજીતસિંહ છત્રસિંહ પરમારના ઘરમાં 26 એપ્રિલની મોડીરાતે લાગેલી આગમાં ઘરવખરી, કપડાં, વાસણો, અનાજ અને તિજોરી સહિતનો સામાન બળી ગયો. આગની અસરથી પાડોશી રામસિંગભાઈ અને સર્જનભાઈના ઘરમાં પણ નુકસાન થયું. ઘટનાની જાણ ગોધરા તાલુકા પોલીસને કરવામાં આવી હતી, જેમાં પોલીસે નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે.