તળાજા: તણસા નજીક અકસ્માતમાં ઉચડી ગામના યુવાનનું કરુણ મોત
તળાજા તાલુકાના તણસા પુલ નજીક કન્ટેનર સાથે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઉચડી ગામના કરણભાઈ રાજગોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળેટોળા એકત્ર થતાં થોડા સમય મા