ગોધરા: ગોધરામાં ટી.આર.બી ભથ્થા કૌભાંડ: ₹6.49 લાખની ગેરરીતિ મામલે 7 સામે ગુનો નોંધાયો
ગોધરામાં ટી.આર.બી જવાનોના ભથ્થામાં ₹6.49 લાખની ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. ફેબ્રુઆરી 2023 થી ફેબ્રુઆરી 2025 દરમિયાન ખોટી હાજરી અને બિલો બનાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી.આ કેસમાં એએસઆઈ સમરતબેન નાઈ સહિત કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.