આજે સોમવારે બપોરે ૪ વાગ્યાની આસપાલ સુભાષ બ્રિજ નીચેનો રિવરફ્રન્ટનો રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં નારાયણ ઘાટ પાસેથી પસાર થતો રસ્તો અગાઉ બંધ કરવામાં આવ્યો હતો.સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શન અને ચકાસણી પછી રિવરફ્રન્ટનો આ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.જોકે સુભાષ બ્રિજ હજુ પણ બંધ જ રાખવામાં આવશે.રિવરફ્રન્ટનો આ ભાગ ખુલતા લોકોને રાહત રહેશે.